લખનઉ: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં હિંસક પ્રદર્શન થયા છે. યુપીમાં હિંસાને લઈને ડીજીપી ઓ પી સિંહને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) આજે તલબ કર્યા હતાં. ત્યારબાદ ડીજીપી ઓ પી સિંહ તેમને મળવા પહોંચ્યા. તેમણે સીએમ યોગીને હિંસાને લઈને અપડેટ આપ્યાં. આ બાજુ લખનઉ (Lucknow) હિંસા મામલે પોલીસે એક લાખ 25 હજારની નોટિસ પણ મોકલી છે. લગભગ એક ડઝન જેટલા હિંસા આચરનારા લોકોના ઘરે આ પ્રકારે નોટિસ ફટકારવામાં આવી છે. તમામ લોકોને 1,25,000 રૂપિયાની નોટિસ મોકલવામાં આવી છે. યુપી સરકાર ઉપદ્રવીઓની ઓળખ કરીને નોટિસ મોકલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAAના વિરોધમાં હવે RJDનું બિહાર બંધનું એલાન, દરભંગામાં ટ્રેન રોકી, પટણામાં ચક્કાજામ


ગોરખપુરમાં હિંસા કરનારા અનેક ઉપદ્રવીઓની ઓળખ થઈ રહી છે. પોલીસે આવા લોકોની તસવીરો પણ બહાર પાડી છે અને તેમના અંગે જાણકારી માંગી છે. આ ઉપદ્રવીઓની જાણકારી આપનારા લોકોને સરકાર તરફથી ઈનામ પણ અપાશે. 


આ બાજુ લખનઉમાં હિંસા કરનારા ઉપદ્રવીઓમાંથી કેટલાક બંગાળી ભાષામાં વાત કરી રહ્યાં હતાં. પોલીસના મળેલા સીસીટીવી ફૂટેજમાંથી આ ખુલાસો થયો છે. લખનઉ હિંસાના બંગાળ કનેક્શન નીકળતા ચોંકી ગયેલી લખનઉ પોલીસ હાલ તપાસમાં લાગી છે. 


કેન્દ્રીય મંત્રીમંડળની આજે મહત્વની બેઠક, CAAના વિરોધ પર થઈ શકે ચર્ચા, UPમાં મૃત્યુઆંક 11 થયો


યુપીમાં હિંસાથી અત્યાર સુધીમાં 11ના મોત
યુપીમાં નાગરિકતા કાયદાના વિરોધમાં થયેલા પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસાના કારણે 11 લોકોએ અત્યાર સુધી જીવ ગુમાવ્યાં છે. પ્રદેશમાં આજે પણ તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાના આદેશ અપાયા છે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....